Similar Posts

આજનો સમય — ભક્તિ, સેવા અને ચમત્કારનું કેન્દ્ર
આજે શ્રી કાલભૈરવ ધામ, બોલુંદ્રા માત્ર મંદિર નથી પણ ભક્તિ, ચમત્કાર અને સેવા નો જીવં પ્રતિબિંબ છે. અહીંની દિવ્ય ઉર્જા દરેક ભક્તને શાંતિ, શક્તિ અને આશીર્વાદ આપે છે.

સિદ્ધસંતોની પ્રાણપ્રતિષ્ઠા
સંત મોતીવન બાવાજી અને રતપરી બાવાજીએ
દાદાની કાષ્ઠ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, તેણે સિદ્ધ સ્વરૂપ આપ્યું અને અહીં જીવંત સમાધિ લીધી. તેમની સમાધિઓ આજે પણ મંદિર પરિસરમાં ભક્તિ અને ચમત્કારના સાક્ષી તરીકે સ્થિત છે.
ધાર્મિક પરંપરાનો વિકાસ
દર રવિવારે હજારો ભક્તો દાદાના દર્શન માટે પધારે છે.
નવરાત્રી નોમનું હવન, કાલી ચૌદસ મહાહવન, અને કાલભૈરવ જયંતિના પ્રસંગોએ મહામંડપમાં સંગીતમય હવન અને સુખડી પ્રસાદ વિતરણ થાય છે.
૩,૦૦૦ કિલોથી વધુ સુખડીનો પ્રસાદ વિતરણ આ ધામની પરંપરા બની ગયો છે.
ઉદયપુરના મહારાજાની કથા
તે સમય દરમિયાન ઉદયપુરના મહારાજાએ સંત મોતીવન બાવાજીનો અપમાન કર્યો. સંતે ભગવાન કાલભૈરવની આરાધના કરી અને તેમનાં આશીર્વાદથી ઉદયપુરના રાજમહેલમાં અચાનક ધ્રુજારી ફાટી નીકળી. મહારાજા સમજી ગયા કે સંતના ચમત્કાર પાછળ ભૈરવદેવની શક્તિ કાર્યરત છે. તેઓ બોલુંદ્રા આવ્યા, બાવાજી પાસે માફી માંગી, અને દર વર્ષે મંદિરમાં વર્ષાસન આપવાનું વચન આપ્યું.

8મી સદી (આશરે 250 વર્ષ પૂર્વે) – દાદાનું પ્રાગટ્ય
અંદાજે બે સદીથી વધુ સમય પહેલાં, અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલા બોલુંદ્રા ગામે
સંત શ્રી મોતીવન બાવાજી (જે ધર્મે જૈન હતા) એ તપસ્યા દ્વારા ભગવાન કાલભૈરવદાદાનું આહ્વાન કર્યું. તેમણે પવિત્ર કાષ્ઠમાંથી દાદાની મૂર્તિ બનાવી,
જ્યાં પ્રથમ વાર કાલભૈરવદાદાની શક્તિ આ ભૂમિ પર પ્રગટ થઈ.
આધુનિક યુગ – મંદિર ટ્રસ્ટ અને પુનઃનિર્માણ
વર્ષ 2008માં મંદિરનું જીર્ણોદ્ધાર અને પુનઃનિર્માણ
સ્થાનિક ભક્તો અને ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું. આજે ધામમાં વિશાળ પ્રાંગણ, શિખરબંધી મંદિર, હવનકુંડ અને ભક્તિ કાર્યક્રમો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

